અર્થાલંકાર
શબ્દ પરથી જ તેની વ્યાખ્યા આપણને મળી જાય છે, કે જે અલંકારમાં અર્થ દ્વારા ચમત્કૃતિ સાધવામાં આવે તેને અર્થાલંકાર કહે છે.ખાસ નોંધ : આપણે શબ્દાલંકાર માં જોઈ ગયા કે તેમાં શબ્દો દ્વારા અલંકાર ઓળખવાના હતા, પરંતુ અહીંયા અર્થ દ્વારા જ અલંકાર ઓળખવામાં આવે છે.
અર્થાલંકારમાં શબ્દનું નહિ પરંતુ અર્થનું મહત્વ વધારે હોય છે. તેટલા માટે જ તેને અર્થાલંકાર કહે છે.
ઉપયોગી શબ્દો
- ઉપમેય : જે કોઈ પણ વસ્તુ, પદાર્થ કે કોઈ પણ વ્યક્તિને સરખાવવામાં આવે તેને ઉપમેય કહે છે.
- ઉપમાન : જે કોઈ પણ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિ સાથે સરખાવવામાં આવે ત્યારે તેને ઉપમેય કહે છે.
- ઉપમા
- રૂપક
- ઉત્પ્રેક્ષા
- અનન્વય
- વ્યતિરેક
- વ્યાજસ્તુતિ
- સજીવારોપણ
- અપનહનુતિ
- અતિશયોક્તિ
- દ્રષ્ટાંત
- અર્થાતરન્યાસ
- સ્વભાવોક્તિ
- અન્યોક્તિ
- વિરોધાભાસ
વ્યાખ્યા : જે વાક્યમાં ઉપમેય ની ઉપમાન સાથે સરખામણી કરવામાં આવે ત્યારે ઉપમા અલંકાર બને છે.
ઉદાહરણો
- દમયંતીનું મુખ ચંદ્ર સમાન છે.
- પગલું લાંક વિનાનું ઊંટના જેવું પડતું
- પુરુષોની માફક સ્ત્રી પણ કેળવણી લઇ શકે છે.
- ઈસ્ત્રી કરેલા વસ્ત્ર જેવા આ સુંવાળા શહેરના રસ્તા ગમે.
- વજ્જર સમાણા કોર્ટના ગઢને તપાસીએ
- મહુડા માયા ઉતારતા યોગી જેવા લાગે છે.
- શિશુ સમાન ગણીને સહદેવને
- ધરતી ઉપર કોઈ વરદાનની જેમ ચાંદની ઉતરી રહી છે.
જેવું, જેવી, જેવો, સમાન, જેવા, સરીખું, સરખો, બરાબર, કેરો, કેરી, કેરું, કેરા, તણું, તણા, તણો, તણી, સમ, સરખી, સમું, સમો, સમા, સમી, સમોવડુ, સમોવડી, શી, શો, માફક, જેમ, જેવડું, જેવડો, પેઠે, સમાણા જેવા ઉષ્માસૂચક શબ્દો સરખામણી માટે વપરાય છે ત્યારે ઉપમા અલંકાર કહેવાય છે.
રૂપક અલંકાર
વ્યાખ્યા : જયારે વાક્યમાં ઉપમેય અને ઉપમાન બંને એક જ છે તેવું દર્શવવામાં આવે ત્યારે રૂપક અલંકાર કહેવાય છે.
ઉદાહરણો
- બપોર એક મોટું શિકારી કૂતરું છે.
- અમે રે સૂકું રૂનું પૂમડું
- ભરી લો શ્વાસમાં એની સુંગધનો દરિયો
- દમયંતી નું મુખ તો ચંદ્ર છે.
- આ સંસાર સાગર તારવો સહેલો નથી.
- છકડો પાણી પંથો ઘોડો થઇ ગયો.
વ્યાખ્યા : જયારે ઉપમેય અને ઉપમાન બંને વચ્ચે સરખામણી માટેની સંભાવના વ્યક્ત કરવામાં આવે ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બને છે.
નોંધ :જાણે, રાખે, શકે, શું, લાગે, દીસે વગેરે સંભાવનસૂચક શબ્દો છે.
ઉદાહરણો
- સાવજ ગરજે જાણે કો જોગંદર ગરજે
- કાયાના સરોવર જાણે હેલે ચડ્યા
- થાય છે મારી નજર જાણે હરણ
- દમયંતીનું મુખ તો જાણે ચંદ્ર
- પ્રણવ રાજા હોય એમ લાગે છે.
વ્યાખ્યા : જયારે પણ ઉપમેયની સરખામણી કરવા માટે ઉપમાન ન મળે ત્યારે ઉપમેયની સરખામણી ઉપમેય સાથે જ કરવામાં આવે તેને અનન્વય અલંકાર કહે છે.
ઉદાહરણો
- હિમાલય એટલે હિમાલય
- માં તે માં બીજા વગડાના વા.
- સિંધુ તો સિંધુ
- દાદાજી એટલે દાદાજી
- ભારત એટલે ભારત
- ગુજરાત એટલે ગુજરાત
- ભગવાન એટલે ભગવાન
વ્યાખ્યા : ઉપમેયને ઉપમાન કરતા ચડિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર કહેવાય છે.
ઉદાહરણો
- એનું અંગ કમળથી પણ કોમળ છે.
- પરેશની વાણી તો અમૃતથીય મીઠી છે.
- રશ્મિનું શરીર તો ફુલથીય હલકું છે.
વ્યાખ્યા : જયારે વાક્યમાં વખાણ દ્વારા નિંદા અને નિંદા દ્વારા વખાણ કરવામાં આવે ત્યારે વ્યાજસ્તુતિ અલંકાર બને છે.
ઉદાહરણો
- તમે તો ખરા રમતવીર ઉગતો બાવળ કૂદી ગયા
- વાહ પહેલવાન તમે તો પાપડ તોડી નાખ્યો
- શું તમારી બહાદુરી ઉંદર જોઈને નાઠા।
- જમન માયકાંગલો નથી પાપડતોડ પહેલવાન છે.
વ્યાખ્યા : જયારે પણ નિર્જીવ વસ્તુમાં સજીવ છે એવો ભાસ કરવામાં આવે અથવા સજીવના ભાવોનું આરોપણ કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર બને છે.
ઉદાહરણો
- ઊગી જવાય વાડે, જો આ ક્ષણે વતન હોય.
- ડાળીયે તિમિર ડોકિયું કરી તાકતું તારો કેડો
- ડાંગરના ખેતરમાં તડકો રોજ સવારે ઝૂલે ડાંગર થઈને
- હાંફી ગયેલા શ્વાસના પગને તપાસીએ
- ત્યાં તો પેલી ચપળ દીસતી વાદળી જાય ચાલી
- વૃક્ષો ઋતુઓની રાહ જોતા રહે છે.
- સડક પણ પડખું ફરીને સુઈ ગઈ.
વ્યાખ્યા : જયારે ઉપમેયનો એકવાર નિષેધ કરીને પછી તેના ઉપર ઉપમાનનું રોપાં કરવામાં આવે તેને અપહનુતિ અલંકાર કહે છે.
અપહનુતિ એટલે છુપાવવું તે.
ઉદાહરણો
- ન હોય એ અભ્ર, એ તો ગરવો ગિરનાર છે.
- નહિ તે કઈ દોષભર્યા નયનો, નિર્મલ નેહ સરોવર સારસ
અતિશયોક્તિ અલંકાર
વ્યાખ્યા : જયારે ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે.
અથવા જયારે કોઈ હકીકતને વધારીને કહેવામાં આવે ત્યારે પણ અતિશયોક્તિ અલંકાર બને છે.
ઉદાહરણો
- પડતા પહેલા જ તેના પ્રાણ નીકળી ગયા
- તેના ધનુષ્ય ટંકારની સાથે જ શત્રુઓએ જીવવાની આશા છોડી દીધી
- શું આભ સુરજ- ચાંદરમિના તેલ ખૂટ્યા ?
- કાચે તે તાંતણે હરિજીએ બાંધી
વ્યાખ્યા : જયારે પણ કોઈ એક વાક્યની વિગતોનું પ્રતિબિંબ બીજા વાક્યમાં પડે છે ત્યારે દ્રષ્ટાંત અલંકાર કહેવાય છે.
નોંધ
આ અલંકારમાં ઉપમેય અને ઉપમાન વચ્ચે સરખામણીનો ભાવ હોતો નથી.
ઉદાહરણો
"ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ,
ભરતી એની લોટ છે, ઓટ પછી જુવાળ""કાળું કલાક પણ ચંદ્રની શોભા વધારે છે
તેમ ઉકરડો ગામની શોભા વધારે છે".
"જલાવી જાતને ધૂપ સુવાસિત બધું કરે
ઘસીને જાતને સંતો, અન્યને સુખિયા કરે".
અર્થાન્તરન્યાસ અલંકાર
વ્યાખ્યા : જયારે પણ સામાન્ય વાતનું કોઈ વિશેષ વાત દ્વારા અથવા વિશેષ વાતનું સામાન્ય વાત દ્વારા થતું સમર્થન બતાવાય ત્યારે અર્થાન્તરન્યાસ અલંકાર બને છે.
ઉદાહરણો
"ઉગે કમળ પંકમાં તદયપી દેવશિરે ચડે,
નહિ કુલથી કિન્તુ મૂલ્ય મુલવાય ગુણ વડે"
.
"જેવી સંગતિમાં ભલે તે પણ તેવા થાય,
ગંગામાં અપવિત્ર જળ ગંગાજળ થઇ જાય".
"જે કોઈ પ્રેમ અંશ અવતરે,
પ્રેમરસ એના ઉરમાં ઠરે".
સ્વભાવોક્તિ અલંકાર
વ્યાખ્યા : જયારે કોઈ પણ અલંકારનો ઉપયોગ કાર્ય વિના જેવું હોય તેવું યથાર્થ આલેખન કરવામાં આવે ત્યારે સ્વભાવોક્તિ અલંકાર બને છે.
ઉદાહરણો
"શોકવેશે હૃદય ભરતી, કંપતી ભીતિઓથી
ને ચિંતાથી જ્વલિત બનતી, સંભ્રમે વ્યાત્ર થતી".
અન્યોક્તિ અલંકાર
વ્યાખ્યા : જયારે પણ મુખ્ય વાતને છુપાવી રાખી આડકતરી વાત કરવામાં આવે આડકતરી રીતે જ મુખ્ય વાતનો બોધ કરવામાં આવે ત્યારે અન્યોક્તિ અલંકાર બને છે.
ઉદાહરણો
- ઘુવડ સો વર્ષ જીવે પણ એને દિવસની ગામ ન પડે.
- પારકી માં જ કાં વીંધે।
- અધૂરો ઘડો છલકાય ઘણો.
- ઝાઝા હાથ રળિયામણા
- મોરના ઈંડા ચીતરવા ન પડે.
વ્યાખ્યા : જયારે પણ બે અલગ અલગ વસ્તુઓને એકસાથે રજુ કરતા વિરોધ ઉત્પન્ન થાય પરંતુ એ વિરોધનો માત્ર આભાસ જ હોવાથી તેને વિષે ઊંડો વિચાર કરતા તે વિરોધનું સમાન થઇ જાય તેવા અલંકારને વિરોધાભાસ અલંકાર કહે છે.
ઉદાહરણો
- હે સિંધુ તું ખરો છે, છતાં અમીરસભર્યો છે.
- જેઠ તાપી રહ્યો જગમાં રે, એને શ્રાવણ આંખે
માનવ નૂ ભક્ષણ કરનાર=માનવભક્ષી
ReplyDelete👌
DeleteThis comment has been removed by the author.
ReplyDelete(છે મતવાલી, નાથી નામલી, નવી લોહિની લાલી ) અલંકાર
ReplyDeleteશબ્દાનુપ્રાસ અલંકાર
Deleteઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન
ReplyDeleteઅલંકાર ઓળખાવો
Delete