વાજપાઈ બેન્કેબલ યોજના વિષેની સંપૂર્ણ માહિતી અહિયાથી મળી જશે
વાજપાઈ બેન્કેબલ યોજના ગુજરાત સરકાર દ્વારા કમિશ્નરશ્રી, કુટીર અને ગ્રામોઉધ્યોગ ની કચેરી, ગાંધીનગર દ્વારા ચલાવવામાં આવે છે. જે યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામ્ય અને શહેરી કક્ષાએ બેરોજગાર લોકોને આર્થિક રીતે મદદ કરીને સ્વરોજગાર પૂરો પાડવાનો છે. આ યોજનાનો લાભ ગુજરાત ના દરેક વ્યક્તિ લઈ શકે છે. વાજપાઈ બેન્કેબલ યોજનાનો લાભ લેવા માટે અરજદારે ઓનલાઈન અરજી કરવાની હોય છે. આ યોજના નો લાભ ઉધ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્રે લોન લેવા માટે લઈ શકાય છે.
વાજપાઈ બેન્કેબલ યોજનાનો હેતુ :
![]() |
વાજપાઈ બેન્કેબલ યોજના |
વાજપાઈ બેન્કેબલ યોજનાનો લાભ લેવા માટે શું કરવું પડે.
- જરૂરી ડોક્યુમેન્ટ સાથે ઓનલાઈન અરજી કરવાની હોય છે.
- જરૂરી આધાર પુરાવા ઓનલાઈન અપલોડ કરવાના હોય છે.
- નજીકના ઓનલાઈન સેન્ટર ઉપર જઈને પણ પ્રોસેસ કરી સકાય.
વાજપાઈ બેન્કેબલ યોજના નો લાભ લેવા માટે ક્યાં ક્યાં પુરાવા જરૂરી છે ?
- ગુજરાત રાજ્યનો નાગરિક હોવો જરૂરી છે
- આધાર કાર્ડ
- જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
- દિવ્યાંગનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
- અનુભવ નું પ્રમાણપત્ર
- વ્યવસાય નો પુરાવો
- ફોટો
- મોબાઈલ નંબર અને ઈ -મેલ આઈ. ડી.
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- ક્વોટેશન
વાજપાઈ બેન્કેબલ યોજનાની અરજી કઈ રીતે કરવી ?
- જરૂરી બધા જ પુરાવા અમારા સંપર્ક નંબર ઉપર મોકલી આપો . +૯૧-૯૯૦૯૭૬૦૫૧૮
- ઓનલાઇન ફોર્મ ભરવા માટેની લીંક આપેલી છે. ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહી ક્લિક કરો
- અમારા વોટ્સઅપ ગ્રુપ માં જોડાવા માટે : અહિયાં ક્લિક કરો
વાજપાઈ બેન્કેબલ યોજનામાં કેટલા રૂપીયા સુધીની લોન મળવા પાત્ર છે ?
ક્ષેત્ર |
મહત્તમ લોનની મર્યાદા |
ઉધ્યોગ ક્ષેત્ર |
વધારે માં વધારે ૮ લાખ રૂપિયા |
સેવા ક્ષેત્ર |
વધારે માં વધારે
૮ લાખ રૂપિયા |
વેપાર
ક્ષેત્ર |
વધારે માં વધારે ૮ લાખ રૂપિયા |
વાજપાઈ બેન્કેબલ યોજનામાં લાયકાત શું હોવી જોઈએ ?
- મિનીમમ ધોરણ ૪ પાસ હોવા જરૂરી છે અથવા
- વ્યવસાય ને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછું ૩ મહિનાની તાલીમ લીધેલ હોવી જોઈએ અથવા
- સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછી ૧ મહિનાની તાલીમ લીધેલ હોવી જોઈએ અથવા
- એક વર્ષ નો ધંધાને લાગતો અનુભવ હોવો જોઈએ અથવા
- વારસાગત કારીગર હોવો જોઈએ
- આ યોજનાનો લાભ દિવ્યાંગ અથવા અંધ વ્યક્તિ પણ લઈ સકશે
- આ યોજના હેઠળ અરજદારને સહકારી/રાષ્ટ્રીયકૃત/ખાનગી બેન્ક દ્વારા ધિરાણ/લોન આપવામાં આવશે
વાજપાઈ બેન્કેબલ યોજનામાં ઉમર કેટલી હોવી જોઈએ ?
- ઉમર ૧૮ થી ૬૫ વર્ષ સુધીની હોવી જોઈએ
વાજપાઈ બેન્કેબલ યોજનામાં બેન્કની ધિરાણ ઉપર સહાયતા કેટલી મળવા પાત્ર છે ?
વિસ્તાર |
જનરલ કેટેગરી |
અનુસૂચિત જાતિ/જનજાતિ/માજી
સૈનિક/મહિલા/૪૦ % કે તેથી વધુ અંધ અથવા અપંગ |
ગ્રામ્ય |
૨૫
% |
૪૦
% |
શહેરી |
૨૦ % |
૩૦ % |
વાજપાઈ બેન્કેબલ યોજનામાં બેન્કની ધિરાણની સહાય ઉપર મહત્તમ મર્યાદા કેટલી છે ?
ક્રમ |
ક્ષેત્ર |
સહાયની રકમની મર્યાદા |
૧. |
ઉધ્યોગ |
રૂપિયા
૧,૨૫,૦૦૦ વધુમાં વધુ |
૨. |
સેવા |
રૂપિયા ૧,૦૦,૦૦૦ વધુમાં વધુ |
વેપાર ક્ષેત્ર માટે
વેપાર ક્ષેત્ર |
શહેરી |
ગ્રામ્ય |
જનરલ કેટેગરી |
રૂપિયા
૬૦,૦૦૦ |
રૂપિયા
૭૫,૦૦૦ |
રિજર્વ કેટેગરી |
રૂપિયા ૮૦,૦૦૦ |
રૂપિયા ૮૦,૦૦૦ |
Comments
Post a Comment